પોરબંદરથી
વધુ એક ખાસ ટ્રેન મારફત મધ્યપ્રદેશના મેઘનગર ખાતે ૧૫૯૫ શ્રમિકોને રવાના કરાયા
છેલ્લા
ત્રણ દિવસમાં ૪૨૦૦ શ્રમિકોને પોરબંદરથી વતન પહોચાડવામા આવ્યા
ટ્રેનની
ટિકીટ ,જમવાની, ચા,નાસ્તો, પાણીની સુવિધા
સરકાર
અને
સંસ્થાઓ દ્વારા કરાતા શ્રમજીવીઓએ આભાર વ્યક્ત કર્યો
પોરબંદર તા.૧૧, પોરબંદર જિલ્લામાં ખેતીકામ, કારખાનામા કામ કરતા મધ્યપ્રદેશના ૧૫૯૫ જેટલા શ્રમિકોને કોરોનાની
મહામારીમાં લોકડાઉનને લીધે તેમને પોરબંદરથી ખાસ ટ્રેન મારફત મ.પ્રદેશના મેઘનગર
ખાતે ટ્રેન દ્રારા રવાના કરાયા હતા. આમ ત્રણ દિવસમા જિલ્લામા ગ્રામ્ય તેમજ
જીઆઇડીસી વિસ્તારમા કામ કરતા ૪૨૦૦ થી વધુ શ્રમિકોને વતન પહોચાડવામા આવ્યા છે. ટ્રેનની ટિકીટ
સરકાર દ્રારા તથા જમવાની, પીવાના
પાણીની, ચા, નાસ્તો સહિતની
વ્યવસ્થા તંત્ર અને સંસ્થા દ્રારા પુરી પાડવામાં આવતા ટ્રેનમાં બેઠેલા શ્રમિકોએ
વિદાયવેળાએ વ્યવસ્થા પુરી પાડવા બદલ કર્મયોગીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર
જિલ્લામાં રહેલા ૪૨૦૦ થી વધુ પરપ્રાંતિયોને ૩ દિવસમાં ટ્રેન મારફત પોતાના વતન
મોકલવામાં આવ્યા છે. આજ તા.૧૧ના રોજ ૧૫૯૫ જેટલા શ્રમિકોને મ.પ્રદેશના મેઘનગર ખાતે
પહોચાડવા પોરબંદરથી ટ્રેન ઉપડી હતી. આ તમામ શ્રમિકો તથા તેઓના બાળકો, પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે જમવા, ચા, પાણી, નાસ્તો, ટ્રેનની ટિકીટ તથા હેન્ડવોશ માટે પેપર શોપ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શ્રમિકોને બેટી બચાવો બેગ આપવામાં આવી હતી.
શ્રમિકોએ જણાવ્યુ કે હતુ કે, કોરોના મહામારી દુર થયા
બાદ પોતે ફરી પાછા પોરબંદર જિલ્લામાં ખેતીકામ કરવા માટે આવીશુ.
આ પ્રસંગે
કલેકટર ડી.એન.મોદી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક
એસ.ડી.ધાનાણી, ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, પ્રાંત અધિકારી કે.વી.બાટી, એ જે.અસારી, જિલ્લાના મામલતદારો, પોલીસ સ્ટાફ, રેલવે વિભાગના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી.