Translate

07 May 2020

માસ્ક નહિ તો અન્ન નહી નો નિયમ લાગુ કરાયો

માસ્ક નહિ તો અન્ન નહી નો નિયમ લાગુ કરાયો
પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે રાશન વિતરણ શરૂ કરાયુ
જિલ્લામાં આવેલી સસ્તા ભાવના અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડ ધારકોને મળી રહ્યુ છે અનાજ
સાધન સંપન્ન લોકો સ્વેચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર કરી રહ્યા છેઅનાજ જતુ

પોરબંદર તા.૭કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ગરીબ વર્ગને વિતરણ કાર્ય પૂર્ણ થતાં હવે મધ્યમ વર્ગીય પરીવારો અને બાકી રહેલાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના ૮૦ હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. સાધન સંપન્ન લોકો સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્રારા વિતરણ થતુ અનાજ નો હક્ક જતો કરી રહ્યા છે. રાશનકાર્ડમા આપેલા નંબરના છેલ્લા અંકના આધારે તારીખ મુજબ  અનાજ મળશે. જેમના રાશનકાડૅ નંબરનો છેલ્લો અંક નંબર ૩ અને ૪ હશે તેમને જ તા.૮મીએ અનાજ મળશે. આમ કાર્ડ ધારકોના નંબર પ્રમાણે પાંચ દિવસમા તમામ લાભાર્થીઓને અનાજ વિતરણ કરાશે. સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખવુતથા માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકવાનુ રહેશે. માસ્ક નહિ તો અન્ન નહી. NON NFSA APL-1 કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં૩ કિલો ચોખા૧ કિલો ખાંડ તથા ૧ કિલો ચણા/ચણાદાળ વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડ ધારકના રાશનના નંબરનો છેલ્લો અંકનો નંબર ૩ અથવા ૪ હોય તેઓને ૮ મે૫ અને ૬ હોય તેઓને ૯ મે૭ અને ૮ હોય તેઓને ૧૦ મે તથા અંક નંબર ૯ અથવા ૦ હોય તેવા કાર્ડ ધારકોને તા.૧૧ મેના રોજ સસ્તા ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશેતેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેકટાંક દ્રારા જણાવાયુ છે. રાશન મેળવવા કાર્ડ દીઠ એક વ્યક્તિએ જ આવવુતથા રાશનકાર્ડ અને આધારકાર્ડ અચુક લાવવાલોકોએ આ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવુ કોઇ કાર્ડ ધારકને રાશનના જથ્થાની જરૂર ન હોય તો તેમણે સ્વેચ્છાએ રાશન જતુ કરવુજેથી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ શકેઆમ તા.૭ થી તા.૧૧ મે સુધી પોરબંદર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ રાજ્ય સરકાર દ્રારા વિતરણ કરાશે.