Translate

08 May 2020

મોકરમાં ઉકાળાનુ વિતરણ


પોરબંદરના મોકર ગામમા ઉકાળાનુ વિતરણ કરાયુ

પોરબંદર તા.૮, પોરબંદરના મોકર ગામના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે મોકર ગામ આયુર્વેદિક તબીબ શ્રી.કાર્તિક સોલંકી તથા ગામના અગ્રણીઓના સહયોગથી ગામલોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત લોકોને કોરોના મહમારીની ગંભીરતાથી વાકેફ કરવાની સાથે સરકારની સુચનાઓનુ લોકો પાલન કરી જરૂરીયાત મુજબ જ લોકો ઘરની બહાર નિકળે તેમ સમજાવવામા આવે છે.