Translate

08 May 2020

પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે અનાજ અપાશે, સધ્ધર લોકો લાભ જતો કરે તેવી અપીલ કરાઇ


પોરબંદર જિલ્લામાં તા. ૯મી મે ના રોજ રેશનકાર્ડનો છેલ્લો આંક ૫ અને ૬ હોય તેને વિનામૂલ્યે અનાજ અપાશે

પોરબંદર તા. ૮કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના ૮૦ હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. સાધન સંપન્ન લોકો સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્રારા વિતરણ થતુ અનાજનો હક્ક જતો કરે તેવી અપીલ કરાઇ છે. રેશનકાર્ડ ધારકના રાશનના નંબરનો છેલ્લા અંક મુજબ રાશન વિતરણ થતુ હોય, જેમના રાશનનો છેલ્લો નંબર ૫ અને ૬ હોય તેઓને તા. ૯મી મેં ના રોજ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે, સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખવુતથા માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકવાનુ રહેશે. માસ્ક નહિ તો અન્ન નહી. NON NFSA APL-1 કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં૩ કિલો ચોખા૧ કિલો ખાંડ તથા ૧ કિલો ચણા/ચણાદાળ વિતરણ કરવામાં આવશે.