Translate

07 May 2020

પોરબંદર : શ્રમિકોને ૩ બસમા વતન મોકલતુ જિલ્લા વહિવટીતંત્ર


પોરબંદરથી  રાજસ્થાનના ૧૫૫ જેટલા શ્રમિકોને ૩ બસમા વતન મોકલતુ જિલ્લા વહિવટી તંત્ર

પોરબંદર તા૭. પોરબંદર ઉધોગનગર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા રાજસ્થાનના ૧૫૫ જેટલા શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ ૩ બસમાં ઉદયપુર રવાના કરાયા હતા. આ તકે શ્રમિકોએ ગુજરાત રાજ્ય સરકાર તથા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયેલ છે. ત્યારે ધંધા રોજગાર માટે પોતાના વતનથી દુર નોકરી કરતા શ્રમિકોકર્મચારીઓ સહિતના પરપ્રાંતિયો પોતાના વતનમાં જઇ શકે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા રાજસ્થાનના ૧૫૫ શ્રમિકોને૩ બસ મારફત વતન જવા માટેની વ્યવસ્થા કરાઇ હતી.